Ticker

6/recent/ticker-posts

20/9/2022

 

20/9/2022

ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયા માં લાલ ડુંગળી ના ભાવ માં થોડો સુધાર જોવા મળ્યો છે.

                     ડુંગળી ના ભાવ per 20 kg મુજબ આપેલ છે



મહુવા માર્કેટ યાર્ડ


 

સફેદ ડુંગળી

95-168

લાલ ડુંગળી

69-352

કપાસ

------------------------

કાળા તલ

2075-2502

સફેદ તલ

2351-2421



ગોંડલ માર્કેટ માં ડુંગળી ના ભાવ ગબડ્યા!!!!!

(Onion prices fell in Gondal market!!!!!)


ગોંડલ માર્કેટ યાર્ડ


 

સફેદ ડુંગળી

----------------

લાલ ડુંગળી

51-266

કપાસ

1001-1901

કાળા તલ

2001-2651

સફેદ તલ

1951-2461




આજે ખેતી વિશે જાણવા જેવું કંઈક





  ડુંગળીનો જાંબલી ધાબાનો રોગ :....


લક્ષણો :


આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતા ડાઘ પડે છે અને આવા ડાઘનો આજુબાજુનો ભાગ જાંબલી, રાખોડી થઈ જાય છે.
 પુષ્પદંડ ડાઘા પાસેથી જમીન તરફ ઢળી પડે છે તેથી બીજ બરાબર પાકતા નથી અને પુષ્પદંડ સુકાઈ જાય છે, આને લીધે બીજ ઉત્પાદનમાં ઘણું જ નુકશાન થાય છે.
થ્રિપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે.
આ રોગ લસણના પાકમાં પણ જોવા મળે છે.
 આ રોગની સાથે સ્ટેમફાઈલમ નામની ફુગનું આક્રમણ પણ ડુંગળી અને લસણના પાકમાં જોવા મળે છે.


નિયંત્રણ :


ડુંગળીના બીજ ઉત્પાદન માટેના પાકમાં પાક જયારે ૬૦ થી ૭૦ દિવસનો થાય અથવા રોગની શરૂઆત થાય ત્યારે મેન્કોઝેબ ૦.ર ટકા (મેન્કોઝેબ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) અથવા કલોરોથેલોનીલ ૦.ર ટકા (કલોરોથેલોનીલ ૭પ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ) ના દ્રાવણમાં સ્ટીકર (જેવી કે સેન્ડોવીટ) ઉમેરી છંટકાવ કરવો. 
આ જ દવાના ૧ર થી ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
થ્રિપ્સ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરવું.
પાકને નિંદામણ મુકત રાખવો આ માટે પેન્ડીમીથાલીન નિંદામણનાશક દવા એક લિટર સક્રિય તત્વ પ્રતિ હેકટરે ફેરરોપણી બાદ ત્રીજા દિવસે છાંટવાથી ડુંગળીના કંદ ઉત્પાદનના પાકમાં આવતા જાંબલી ધાબા રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.




જો તમને માહિતી યોગ્ય જણાય, તો અમારી મહેનત ને પ્રોત્સાહિત કરવા આ page ને નીચે આપેલ સોશ્યિલ મીડિયા માં આગળ મોકલો.





Post a Comment

0 Comments